આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
વચન થી અધિક નહિ કાઈ રે
વચન જાણીયા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણ માં સમાય રે...આદિ અનાદિ છે
કર્મકાંડ એને નડે નહિ
જેને આવીયો વચન નો વિશ્વાસ રે
પગલું ભરે પણ વચન તપાસે ને
થાય રહે ગુરુજી ના દાસ રે...આદિ અનાદિ છે
જનક વિદેહી ભૂલી ગયા ને
દીધો જેને પે ઘડે પાવ રે
એક વર્ષ તેમાં રહ્યો પોતે
પછી બદલીયો વચન નો ભાવ રે ...આદિ અનાદિ છે
દેહ છતાં તેને વિદેહી કીધો
એ વચન તણો પ્રતાપ રે
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ
જેને નહિ ત્રિવિધનો તાપ રે ...આદિ અનાદિ છે
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan

વચન થી અધિક નહિ કાઈ રે
વચન જાણીયા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણ માં સમાય રે...આદિ અનાદિ છે
કર્મકાંડ એને નડે નહિ
જેને આવીયો વચન નો વિશ્વાસ રે
પગલું ભરે પણ વચન તપાસે ને
થાય રહે ગુરુજી ના દાસ રે...આદિ અનાદિ છે
જનક વિદેહી ભૂલી ગયા ને
દીધો જેને પે ઘડે પાવ રે
એક વર્ષ તેમાં રહ્યો પોતે
પછી બદલીયો વચન નો ભાવ રે ...આદિ અનાદિ છે
દેહ છતાં તેને વિદેહી કીધો
એ વચન તણો પ્રતાપ રે
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ
જેને નહિ ત્રિવિધનો તાપ રે ...આદિ અનાદિ છે
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan
No comments:
Post a Comment